ગુજરાત ના ખેડૂતો થઈ જાવ બસ આટલી જ કલાકો માં થશે આ શહેરોમાં મેઘરાજાની એન્ટ્રી - khabarilallive
     

ગુજરાત ના ખેડૂતો થઈ જાવ બસ આટલી જ કલાકો માં થશે આ શહેરોમાં મેઘરાજાની એન્ટ્રી

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અુસાર પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે.

એકાએક સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. આજે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં ગઇ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેનો આજે અંત આવી ગયો છે, આજે સવારથી જ વાતાવરણ ખુશનુમા છે. સવારથી આકાશમાં વાદળો ઘેરાયાં છે. સાથે જ આજથી પાંચ દિવસ માટે સૂરજ ઢંકાયેલો જ રહેશે તેવી શક્યતા છે.

બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જોકે વાદળછાયા વાતાવરણમાંય સવારે થોડી ઠંડક પ્રસરેલી રહે છે, પરંતુ બપોર થતાં જ બફારાનું પ્રમાણ અત્યંત વધી જવા પામ્યું છે.જો કે, બપોર બાદ સુરેન્દ્રનગરના ચૂડા ખાતે સામાન્ય વરસાદ શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *