વાતાવરણમાં મોટો પલટો દરિયો બન્યો તોફાની અમદાવાદ સહીત આ 4 શહેર માટે હવામાનની આગાહી - khabarilallive    

વાતાવરણમાં મોટો પલટો દરિયો બન્યો તોફાની અમદાવાદ સહીત આ 4 શહેર માટે હવામાનની આગાહી

ગુજરાતમાં ત્રણ દિવસ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે પૂર ઝડપે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડી ગયા છે. તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે.

રાજ્યમાં પવનની ગતિથી 10થી 20 કીમીની ઝડપે ફુંકાશે.રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં અસર પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતારવણ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઉકળાટ પણ રહેશે.તેમજ રાજ્યમાં 10થી 20 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.તો 3 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થવાની સંભાવના છે.

અમદાવાદ, સુરત, વડોદરા, નવસારીમાં પવન ફુંકાયો.સોમવારે રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.અને વરસાદી માહોલ રહેશે.જ્યારે 4 દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.તો સુરતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો હતો.

સુરત બાદ વડોદરાના વાતાવરણાં પણ પલટો જોવા મળ્યો છે. સવારથી વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાદળો છવાતાં શહેરીજનોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે.જ્યારે નવસારીમાં વાતાવરણ બદલાતા કેરીના પાકને નુકસાન થયું છે.

ગુજરાતમાં ચોમાસું કયારે બેસશે
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે.આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *