હવામાન નિષ્ણાત અંબાલાલની વાવાઝોડાને લઈને સણસણતી આગાહી સીસ્ટમ થઈ ગઈ સક્રીય
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ.
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરઉનાળે આવેલા માવઠા બાદ જગતના તાતના માથે વધુ એક આફત આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાંખ્યો છે, ત્યાં બીજી તરફ હવે થોડા ઘણાં બચેલા પાકનો પણ કચ્ચરઘાણ કાઢવા માટે આવી રહ્યું છે તોફાની વાવાઝોડું ત્યારે ચોમાસા પહેલા આવી રહેલું વાવાઝોડું ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ.
ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે.