ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત આ 2 જિલ્લાઓમાં શાળા કોલેજ પણ રહેશે બંધ - khabarilallive
     

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત આ 2 જિલ્લાઓમાં શાળા કોલેજ પણ રહેશે બંધ

વલસાડ-નવસારીના અનેક વિસ્તારોમાં પૂર અને નુકસાનીનો આંકડો કરોડોમાં.વલસાડમાં આવતીકાલે શાળા-કોલેજમાં રજા રહેશે. રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છ. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી 

આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે  ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. 

વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં અઠવાડિયામાં જ બે વખત પૂર આવતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પ્રકોપને કારણે અનેક દુકાનદારો પાયમાલ થયાં છે તો બજારોમાં પણ પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કપરી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડની બજારમાં પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી. 

વલસાડમાં શાળા-કોલેજો બંધ રહેશે .ભારે વરસાદની સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે અને હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે શાળા-કોલેજો બંધ રાખવાનો સ્થાનિક કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 

અંબિકા નદીમાં ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો  તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *