૨ દિવસમાં ચંદ્રમા અપાવશે લાભ આ રાશિવાળા ને મળશે સફળતાં સુખ અને શાંતિ
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેને મન, ડાબી આંખ, માતા, માનસિક સ્થિતિ, મનોબળ, સુખ અને શાંતિ વગેરેનું કારણ માનવામાં આવે છે. ચંદ્રદેવની સ્થિતિ મજબૂત હોવાથી વ્યક્તિને માન-સન્માન, જ્ઞાન અને ધનની પ્રાપ્તી થાય છે. ટેન્શન અને માનસિક તણાવથી મુક્તિ મળે છે.
15 ઓક્ટોબરે ચંદ્ર મંગળની રાશિ મેષમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. કેટલીક એવી રાશિઓ છે, જેણે માટે આ ગોચર અત્યંત લાભદાયક સાબિત થશે. તેમને ધન-સંપત્તિની પ્રાપ્તી થશે. નસીબનું સાથ મળશે. ચાલો જાણીએ કે કઇ-કઇ રાશિ માટે આ રાશિ પરિવર્તન શુભ સાબિત થશે.
**મેષ રાશિ**
મેષ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ મળશે. ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. કાર્ય ક્ષેત્રમાં આવેલી અડચણો દૂર થશે. ઘર-પરિવારમાં ખુશહાલી વધશે. બિઝનેસ માટે પ્રવાસની શક્યતાઓ છે. પ્રમોશન મળી શકે છે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. આરોગ્ય પણ સારું રહેશે.
**મિથુન રાશિ**
મિથુન રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ રહેશે. ધન-ધાન્યમાં વૃદ્ધિના યોગ છે. નસીબનું પૂરું સાથ મળશે. જીવનસાથી સાથેના સંબંધ મજબૂત થશે. સંતાન તરફથી કોઈ સારી ખબર મળી શકે છે. સમાજમાં સન્માન વધશે. માનસિક તણાવ દૂર થશે.
**કન્યા રાશિ**
ચંદ્રનો આ ગોચર કન્યા રાશિના જાતકો માટે શુભ રહેશે. વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન મોટી સફળતા મળી શકે છે. પગાર વૃદ્ધિ અને પ્રમોશનની શક્યતાઓ પણ છે. આરોગ્ય સારું રહેશે અને મન શાંતિમાં રહેશે. વ્યવસાયમાં પણ લાભ થશે.
**વૃશ્ચિક રાશિ**
વૃશ્ચિક રાશિના જાતકોને તણાવ અને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. પરિવાર અને મિત્રોના સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે. વાહન ખરીદવાના યોગ છે. આર્થિક લાભ થશે. માતા સાથે તમારા સંબંધ સારા રહેશે. આવકના નવા સ્ત્રોતો ખુલશે.
**તુલા રાશિ**
તુલા રાશિના જાતકોને આકસ્મિક ધનની પ્રાપ્તી થશે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળશે. આરોગ્ય પણ સારું રહેશે. વેપારીઓ માટે આ સમયગાળો અત્યંત શુભ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. કોઈ નવી યોજના તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.