અંબાલાલ પટેલની આગાહી ૧ થી ૫ ઓગષ્ટ માં બનશે બે સિસ્ટમ આ જિલ્લામાં આવશે મેઘરાજાના નું ઘોડાપૂર
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, 31મી જુલાઇના રોજ એક સિસ્ટમ બનશે જે ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે. જે બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનશે.
જે સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાથી મધ્યપ્રદેશ થઇને ગુજરાત તરફ આવશે. આ સિસ્ટમ મજબૂત થશે. પાંચથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે.
સમગ્ર રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ હાલ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની શક્યતા દર્શાવી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 30મી જુલાઇના રોજ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશ હતુ હવે તે પસાર થઇ ગયુ છે. હવે રાજ્ય પર માત્ર તેના આઉટર ક્લાઉડ જોવા મળશે.
જેથી આજથી (31 જુલાઇ) રાજ્યભરમાં વરાપ જોવા મળશે. હાલ છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે પરંતુ મોટા કોઇ રાઉન્ડની આગાહી નથી.ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 30મી જુલાઇના રોજ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશ હતુ હવે તે પસાર થઇ ગયુ છે.
હવે રાજ્ય પર માત્ર તેના આઉટર ક્લાઉડ જોવા મળશે. જેથી આજથી (31 જુલાઇ) રાજ્યભરમાં વરાપ જોવા મળશે. હાલ છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે પરંતુ મોટા કોઇ રાઉન્ડની આગાહી નથી. આ સાથે તેમણે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યુ કે, વરાપના સમયમાં ખેતીલાયક કામ કરી લેવા જોઇએ. કારણ કે, ઓગસ્ટ મહિનામાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જોકે, હાલ બેથી ત્રણ દિવસ વરાપનો માહોલ રહી શકે છે.