રાતોરાત જ છ લોકોએ છોડ્યો હતો કપિલનો શો કારણ સામે આવતા સૌ કોઈ થઈ ગયા હેરાન
કપિલનો બાળપણનો મિત્ર ચંદન પ્રભાકર કપિલ શર્મા શોની નવી સીઝનના પ્રોમોમાં જોવા મળ્યો હતો. પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ ચંદને થોડા સમય માટે શોથી દૂરી બનાવી લીધી છે. જોકે, તેણે શોમાંથી થોડા દિવસો દૂર રહેવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી.
સપના પાર્લરની ભૂમિકા ભજવનાર કૃષ્ણા અભિષેકે પણ શો છોડી દીધો છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે કૃષ્ણાના આ શોમાંથી દૂર થવા પાછળનું કારણ ફી છે. જોકે, કપિલ અને ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ટૂર પર જતા પહેલા કૃષ્ણાએ અલગ થવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
કપિલની કાકીનો રોલ કરનારી ઉપાસના સિંહ પણ શોમાંથી બહાર નીકળી ગઈ છે. શો છોડવાનું કારણ ઉપાસના એક શોમાં નાના પાત્રનો ભાગ બનવાનું હતું. તે આ શોની ક્રિએટિવિટીથી બહુ ખુશ નહોતી.
ગુત્થી અને ડોક્ટર ગુલાટીનું પાત્ર ભજવનાર સુનીલ ગ્રોવર અને કપિલ વચ્ચેની લડાઈ જાણીતી છે. આ પછી ઘણી વાર એવું લાગતું હતું કે કપિલના સમજાવવા પર સુનીલ શોમાં પાછો ફરશે પરંતુ એવું થયું નહીં.
કપિલ શર્માના શોમાં અલગ-અલગ હેરસ્ટાઈલ સાથે શિક્ષકનું પાત્ર પણ ખૂબ જ ફેમસ થયું હતું. આ ભૂમિકા સુગંધા મિશ્રાએ ભજવી હતી. સુગંધાએ અધવચ્ચે જ શો છોડી દીધો. આવું એટલા માટે કારણ કે સુનીલ ગ્રોવરે શો છોડ્યા બાદ શોના ફોર્મેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેને ફરીથી ફોન આવ્યો નહોતો.
કપિલની દાદીની ભૂમિકા અલી અસગરે ભજવી હતી. સુનીલ ગ્રોવરના ગયા બાદ અલી અસગર શોમાંથી બહાર નીકળી ગયો હતો.આની પાછળનું કારણ કપિલ અને ટીમની ક્રિએટિવિટી વિશેની કેટલીક વાતો હતી.