તારક મેહતા શો માં પરત આવવા દયા ભાભીએ મૂકી દીધી એવી 3 શરતો કે આશિત મોદી રહી ગયા હેરાન - khabarilallive
     

તારક મેહતા શો માં પરત આવવા દયા ભાભીએ મૂકી દીધી એવી 3 શરતો કે આશિત મોદી રહી ગયા હેરાન

શૉમાં દયા બેનની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ દિશા વાકાણી ની જે અત્યારે સીરિયલનો ભાગ નથી. દિશાએ વર્ષ 2017 માં આ શૉ મેટરનિટી લીવ પર ગયા બાદ છોડી દીધો હતો.કૉમેડી ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તાજેતરમાં જ પોતાના 14 વર્ષ પુરા કરી લીધા છે. આ ટીવી સીરિયલ વર્ષ 2008થી પ્રસારિત થઇ રહી છે અને આજે પણ દર્શકોની હૉટ ફેવરેટ છે.

આ ટીવી સીરિયલમાં એકથી એક ચઢિયાતા સ્ટાર દેખાય છે, જેમાં જેઠાલાલ બનેલા દિલીપ જોષીથી લઇને બાપુજી બનેલા અમિત ભટ્ટ અને બબિતા જી બનેલી મુનમુન દત્તા સુધી સામેલ છે. આ 14 વર્ષોમાં આ ટીવી સીરિયલે કેટલાય ઉતાર ચઢાવ જોયા છે. જોકે, હાલમાં કેટલાક સ્ટાર શૉ છોડીને નીકળી ગયા છે, જેની ભરપાઇ હજુ સુધી કોઇ નથી કરી શક્યુ. 

આજે અમે વાત કરી રહ્યાં છીએ આ શૉમાં દયા બેનની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ દિશા વાકાણી ની જે અત્યારે સીરિયલનો ભાગ નથી. દિશાએ વર્ષ 2017 માં આ શૉ મેટરનિટી લીવ પર ગયા બાદ છોડી દીધો હતો. જોકે, મેકર્સ દ્વારા કેટલોય એપ્રૉચ કર્યા બાદ પણ એક્ટ્રેસે આ શૉમાં વાપસી નથી કરી. 

દિશા વાકાણીએ શૉમાં કમબેક કરવા કેટલીક શરતો રાખી હતી. આ શરતમાની એક હતી કે તે પ્રતિ એપિસૉડ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, શરત એવી પણ હતી કે દિવસભર માત્ર થોડાક કલાકો જ શૂટિંગ માટે આપશે. વળી, એક્ટ્રેસની છેલ્લી શરત એ પણ હતી કે તેના બાળક માટે સેટ પર એક નર્સરી પણ બને. જોકે, હવે સમાચારો આવી રહ્યાં છે કે દિશા વાકાણીના આ શૉમાં પાછા આવવાની ચાન્સ ના બરાબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *