ભરૂચ જિલ્લામાં આવેલ કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ આટલા લોકો થયા ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં મંગળવારે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા છ કામદારો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું કે આગ ભારત રાસાયણના યુનિટમાં લાગી હતી અને બચાવ કામગીરી ચાલુ છે.

તેમણે કહ્યું કે છ કામદારોને ભરૂચ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરાએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવાનું કામ હજુ ચાલુ છે.

“આગ કાબુમાં આવ્યા પછી અને બચાવ ટુકડીઓ પરિસરમાં પ્રવેશ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે,” તેમણે કહ્યું. અધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ભારત રસાયણ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *